Friday, 7 May 2010

મહેમાનોને સંબોધન : કવિ કાન્ત

એક વાર કવિ કાન્તના ઘેર કવિ નાન્હાલાલ મહેમાન બનીને પધાર્યા. કેવો દિવ્ય અવસર હશે આ બંને સાક્ષરોના મિલનનો. કવિ કાન્તે કવિ નાન્હાલાલની ઉત્તમપણે ચાકરી કરી. કવિ નાન્હાલાલની વિદાય બાદ તેમણે આ કાવ્યની રચના કરી. તેઓ કવિ નાન્હાલાલને પોતાની આગતા-સ્વાગતામાં કોઇ ઉણપ રહી ગઇ હોય તો ઉદાર મને માફ કરવા વિનવે છે. ઉપરાંત મહેમાનોને ફરી પધારવા ઇજન આપે છે.


આ ઉનાળું વેકેશનમાં આપણા સહુના ઘેર કોઇને કોઇ મહેમાનો જરૂર પધાર્યા હશે. તો ચાલે તેમનાં માનમાં સાંભળિયે આ ગીત.

કવિ - મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
કાવ્યસંગ્રહ - પૂર્વાલાપ

મહેમાનો! ઓ વા'લા! પુનઃ   પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો  માફ  હજારો   પામર   પાપ,   જે
દિનચર્યામાં   પ્રભુ  પાસે પણ થાય, જો!
મહેમાનો! ઓ વા'લા! પુનઃ   પધારજો!

ઉન્નત    ગિરિશૃંગોનાં   વસનારાં   તમે ઃ
ઊતર્યા  રંક ઘરે શો,  પુણ્યપ્રભાવ   જો!
શુશ્રૂષા      સારી   ના   અમને   આવડીઃ
લેશ  ન  લીધો લલિત ઉરનો લા'વ જો!

No comments:

Post a Comment