Monday, 21 June 2010

કે કાગળ હરિ લખે તો - રમેશ પારેખ

કવિ - રમેશ પારેખ
સ્વર,સંગીત - આસિત દેસાઇ






કે કાગળ હરિ લખે તો બને-
અવર લખે તો  એકે અક્ષર નથી ઉકલતાં મને.

મોરપીંછનો જેનાં પર પડછાયો ના પડીયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબિડિયું શું ખોલું જેની વાટ ન હોય આંખને...

મીંરા કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી  મીંરા કને...

1 comment: