Friday, 2 July 2010

અમે વૃક્ષ ચંદનના - ભગવતીકુમાર શર્મા

કવિ - ભગવતીકુમાર શર્મા
સ્વર,સંગીત - સોલી કાપડિયા



અમે વૃક્ષ ચંદનના ચિરાઇ ચાલ્યાં,
છીયે લાગણિવશ તો લીરાઇ ચાલ્યાં.

રહીશું અમે ટેરવાની અડોઅડ,
હથેળીમાં તારી લકીરાઇ ચાલ્યાં.

અમે મહેતા નરસિંહની કરતાલ છીયે,
અને મંજીરા થઇ મીંરાઇ ચાલ્યાં.

પડી જળનાં ચરણોમાં કાંઠની બેડી,
છીયે આત્મા પણ શરિરાઇ ચાલ્યાં.

1 comment:

  1. ચાંદસૂરજFriday, July 02, 2010 5:09:00 pm

    બંધુશ્રી કૃતેશભાઈ, ધામશ્રી અમદાવાદ.
    સાદર નમસ્તે સાથ સૌને જયશ્રીકૃષ્ણ.

    આપના સૌરભતા ચમનમાંથી સાહિત્યની પરિમલને પહેરી સુગંધસભર એ પુરવાઈ મનઆંગણે આવે છે ત્યારે સુરભિ નીતરતાં એના આંચલથી મન પણ તરબોળ થઈ જાય છે. હવે તો આપ સરીખા બાહોશ બાગબાનના બગીચામાં, મનડાને દરરોજ ફરવા લઈ જવાનો કોલ આપ્યો છે તો એને ભલા નારાજ કેમ કરી શકાય ! આજે એમાં મહોરીને ખીલેલા પુષ્પની પરિમળ પણ અનેરી અને અતલ છે. આજે આપે શ્રી ભગવતીકુમાર શર્માના " અમે વૃક્ષ ચંદનનાં " ભીંજવતા ભજને મનની કંકાવટીને સભરે ભરી છે ત્યારે મન એ આધ્યાત્મિકતાથી બાંધેલાં શીતલ, મંદ અને સુગંધી પવનના હિંડોળે હિંચે છે. આકરાં તપને તપી ચંદનવૃક્ષ એના નિચોડથી ક્યાં ક્યાં બિરાજમાન થાય છે એનું સુંદર વૃત્તાંત એમાં સમાયેલું છે. મન તો કહે છે એનો સાત્વિક અંશ માનવીય અંગુલિને ટેરવે ચડી, બુદ્ધિમતાના ભવ્ય ભાલપ્રદેશના રથે આરૂઢ થાય છે જ્યાં એની ફૂવાર સદાય ઉડતી રહે છે. આભાર.
    'ચાંદસૂરજ'
    નેધરલેન્ડસ.

    ReplyDelete