Wednesday, 27 October 2010

માનવ દીપક

સૂરજ જેટલા તેજસ્વી ન થઇ શકીયે તો કંઇ વાંધો નહિ, પણ નાના દિવા જેટલું અજવાળું તો ફેલાવી શકીયે છે. સમાજ માટે બહુ મોટા કાર્યો ન કરી શકીયે તો કંઇ નહિ પણ બીજાને મદદરૂપ થઇએ એટલે ઘણું.


કવિ - રમણલાલ વ્યાસ

   મારે માનવ-દીપક થાવું,
રે મારે માનવ-દીપક થાવું.
જીવન-જ્યોત સદાય જલાવી, કોક ખૂણૉ અજવાળું;
જગનો કોક ખૂણૉ અજવાળું.
અંધજનોને રાહ બતાવી-અથડાતાં અટકાવું.
રે મારે માનવ-દીપક થાવું.

વેર,ઝેર,હિંસા,અસૂયાનું વધતું જ્યાં અંધારુ;
સત્ય, અહિંસા, શીલ, ત્યાગનું,કરીશ હું અજવાળું
રે મારે માનવ-દીપક થાવું.

ટમટમતો રહું દીપક વાંછા, નહિ સૂરજ શું થાવું,
જગમાં નહીં સૂરજ થાવું,
મૂક જલી રહી ગર્વહીન હું, મારું કામ બજાવું,
રે મારે માનવ-દીપક થાવું.

No comments:

Post a Comment