Saturday, 2 October 2010

મારું જીવન - ઉમાશંકર જોશી



બાપુના જન્મદિવસે ઉમાશંકર જોશીની આ અમર રચના. રવિન્દ્રનાથ ટાગોરના અમર કાવ્ય 'ઓમોર જીવન ઓમોર વાની'નો આ અદભૂત ભાવાનુવાદ માણીયે.

સ્વર - શ્યામલ મુન્શી
સંગીત - શ્યામલ - સૌમિલ





મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી..........

(શબ્દો - ગુંજારવ)

No comments:

Post a Comment