Wednesday, 28 November 2012

ચાલ્યા જતાં પ્રસંગની - જવાહર બક્ષી

કવિ – જવાહર બક્ષી
સ્વર – આલાપ દેસાઇ
સંગીત – આસિત દેસાઇ



ચાલ્યા જતાં પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તો પણ પૂરાં પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રશ્ય સ્થિર થાશે તો જોઇશ ધરાઇને,
પણ ત્યાં સુધી એ ધૂળ ઉપર આવરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં,
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે.

સ્વપના એ તો બહુ તો ઓગળી ઝાકળ થઇ ગયાં,
જીવનમાં તો પછી ફના ક્યાંથી ઝરણ રહે.

મારી ક્ષિતિજ લઇને હું ફરતો રહ્યા કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

No comments:

Post a Comment