Saturday, 12 January 2013

વૈષ્ણવજન તો તેને કહીયે - નરસિંહ મહેતા

આ ભજન સહુયે સાંભળ્યું હશે. પણ આજે પારંપરિક કરતા કંઇક અલગ, કંઇક જુદુ વૈષ્ણવજન માણીયે. મેટ્રો અમદાવાદનું મેટ્રો વૈષ્ણવજન. થોડુક વાઇ બ્રાન્ટ છે, પણ આખરે વૈષ્ણવજન છે.

કવિ - નરસિંહ મહેતા
સ્વર - ???





વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં સહુને વંદે. નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે.

(શબ્દો - કવિલોક)

No comments:

Post a Comment