Saturday, 11 May 2013

ઓધાજી અમને શ્યામ રે વિના - મુક્તાનંદ સ્વામી

કવિ - મુક્તાનંદ સ્વામી
સ્વર - સમીર બારોટ




ઓધાજી અમને શ્યામ વિના સુખ નાવે રે

સગાં ન દીઠાં સોહાયે, મંદિરિયું ખાવાને ધાયે,
ભોજનિયું તે નવ ભાવે રે...

રજનીમાં નિંદ ત્યાગી, લગની એ સાથ લાગી,
કા'ન ન સંદેશો કા'વે રે...


દીવાની થઈને ડોલું, બપૈયાની પેરે બોલું,
મોહની લગાડી માવે રે...

મુક્તાનંદ માવ પાસે, અમને કોઈ રાખે પાસે,
કા'નને કોઈ તેડી લોવે રે...

(શબ્દો - કીર્તન મુક્તાવલી)

No comments:

Post a Comment