અંતરમાંથી નહીં રે વિસારું - મીરાંબાઇ
કવિ - મીરાંબાઇ
સ્વર - હેમંત ચૌહાણ
અંતરમાંથી નહીં રે વિસારું,
જળ જમુનાનાં ભરવાં રે જાતાં
શિર પર મટકી ધરી.
આવતા ને જાતા મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી.
પીળું પીતાંબર જરકસી જામા,
કેસર આડય કરી.
મોર મુગટ ને કાને રે કુંડલ
મુખ પર મોરલી ધરી.
શામળી સુરતના શામળિયા,
જોતામાં નજર ઠરી.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
વિઠલવરને વરી.
સ્વર - હેમંત ચૌહાણ
અંતરમાંથી નહીં રે વિસારું,
જળ જમુનાનાં ભરવાં રે જાતાં
શિર પર મટકી ધરી.
આવતા ને જાતા મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી.
પીળું પીતાંબર જરકસી જામા,
કેસર આડય કરી.
મોર મુગટ ને કાને રે કુંડલ
મુખ પર મોરલી ધરી.
શામળી સુરતના શામળિયા,
જોતામાં નજર ઠરી.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
વિઠલવરને વરી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment