Sunday, 3 February 2013

પ્રીતિના અવસરિયે - પન્ના નાયક

કવિ - પન્ના નાયક
સ્વર - રેખા ત્રિવેદી





પ્રીતિના અવસરિયે સરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે,
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

તું તો છે ને દરિયો ને હું તો તરંગ,
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ;
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું,
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે,
તારા સરોવરમાં તરવાની વાત છે.

(શબ્દો - રીકીન-હેમાંગી)

No comments:

Post a Comment