Thursday, 24 June 2010

માનીતી શોક્ય - લોકગીત

સ્ત્રીની સહુથી મોટી દુશ્મન સ્ત્રી જ હોય છે, એવું ક્યાંક મે સાંભળ્યું છે. સ્ત્રી બધુ જ સહન કરી શકે પણ ઘરમાં શોક્યનો પડછાયો સહન ન કરી શકે. પ્રસ્તુત લોકગીતમાં નાયિકા પોતાની શોકને 'માનીતી' કહે છે. મા પોતાની દીકરીને માનીતી શોક્ય સાથે કેવો વહેવાર કરવો એની સમજ આપે છે.


મા !  મારી શોક તો માંદી પડી,
         શું ઓસડ કરું માનીતી શોકને !
દીકરી ! આકડા-ધતૂરાનું મૂળ,
        ઘસીને પાજો માનીતી શોકને !

મા ! મારી શોક તો મરી ગઇ,
        કેમ કરીને રડું માનીતી શોકને !
દીકરી ! લીલી ચૂંદડી ઓઢજો,
        ઓઢીને રડજો માનીતી શોકને !

મા ! મારી શોકને કૂટવા જવું,
         કેમ કરીને કુટવું માનીતી શોકને !
દીકરી ! લીલી સાટીનનું કાપડ,
          પે'રીને કૂટજો માનીતી શોકને !

મા ! મારી શોકને વળવવા જવું,
         કેમ કરી જવું માનીતી શોકને !
દીકરી ! ચૂલે ખીચડી મેલજો,
           ખાઇને જજો માનીતી શોકને !

No comments:

Post a Comment