Wednesday, 6 July 2011

કાંચળી ઉતારીને સાપ સરી જાય - મનોજ ખંડેરિયા

આજે જાણીતા કવિ-ગઝલકાર એવા મનોજ ખંડેરિયાનો ૬૮મો જન્મદિવસ છે. તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલી.

કવિ - મનોજ ખંડેરિયા
સ્વર - રેખા ત્રિવેદી, સુરેશ જોશી
સંગીત - સુરેશ જોશી



કાંચળી ઉતારીને સાપ સરી જાય
તેમ આપણેય સરવાનું ઘાસમાં.

એકાદી ક્ષણ સરકે ખેસવીને વર્ષોના રાફડાની ધૂળ,
ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઉભરે છે,
વીતકના મોગરાનું ફૂલ,
ખોવાના રંગ જરી જાય બધા નિશ્વાસે,
આપણે સુવાસ લઇએ શ્વાસમાં.

આપણે ના આંગણાનો તુલસીનો ક્યારો કે,
આપણે ન વીંટ ઉભી અંત,
પાંદડાની લીલપને ખોઇ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ.
ખેરવેલા પીંછાંની ઊંડી લઇ વેદના
પંખી તો ઉડતું આકાશમાં.



No comments:

Post a Comment