Tuesday, 21 May 2013

નહિ રે વિસારું હરિ - મીરાંબાઇ


કવિ - મીરાબાઇ



નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી ... અતંરમાંથી

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી ... અંતરમાંથી

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી ... અંતરમાંથી

(Lyrics - Wikisource

No comments:

Post a Comment