વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી - સુરેશ દલાલ
![]() |
Image Source |
આપણા સાહિત્યકારોએ કૃષ્ણ વિશે તો ઢગલાબંધ ગીતો તો લખ્યા જ છે, પણ કૃષ્ણના પ્રતિકો એવા મોરલી, મોરપિચ્છ, યમુના, ગાયો, ગોવાળ વગેરે પર પણ અનેક વિવિધ ગીતો રચ્યા છે. આવુ જ સરસ ગીત સાંભળીયે.
કવિ - સુરેશ દલાલ
સ્વર - કૌમુદી મુન્શી
સંગીત - દિલીપ ધોળકીયા
વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !
છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ
મારા અંતરની છાનેરી લાગણી !
સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમાં,
મ્હાલવાની મોજ મને આવે,
ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ,
મને તાકી તાકીને અકળાવે
આઘુપાછું તે કાંઇ જોયા વિના
બધા આપે શી વાતની વધામણી?
ગાયોની સાથ સદા હોયે ગોવાળીયો,
ને ફૂલડાંની સાથે સુગંધ
તારી તે સંગ હોય હૈયાવીંધ વાંસળી
ને વાસળીમાં વહેતો ઉમંગ,
ગોપીની લાજ અને લોપે મરજાદ
કાળી ડંખે છે નીંદાની નાગણી !
0 પ્રત્યાઘાતો:
Post a Comment