ઘંટડીયું રણકીને રાધાજી - બકુલ ત્રિપાઠી
રાધા વિના કૃષ્ણનું ગીત હોય? અને કૃષ્ણ વિના રાધાનું ગીત કેવી રીતે શક્ય બને? પણ આપણા લાડીલા હાસ્યકાર બકુલ ત્રિપાઠીને કૃષ્ણનાં નામ વિના રાધાનું ગીત લખવાની ઇચ્છા થઇ, ત્યારે રાધાજીએ શું પ્રતિભાવ આપ્યો તે જાણવા જેવો છે. રાધાના તો એક એક અક્ષરમાં કાનો છે. આસિત દેસાઇના સ્વર અને સંચાલન બન્ને અદભૂત છે.આ ગીતના આસ્વાદ માણતા તમે પણ કૃષ્ણમય થઇ જાવ.
કવિ - બકુલ ત્રિપાઠી
સ્વર, સંગીત - આસિત દેસાઇ