આજે આપણા ગુજરાતની લોકમાતા નર્મદાનો પ્રાગટ્ય દિવસ છે. પુરાણો મુજબ મહા સુદ સાતમના દિવસે ભગવાન શંકરે પોતાના આશીર્વાદ દ્વારા નર્મદા નદીનું પ્રાગટ્ય કર્યું. આપણી સંસ્કૃતિ મુજબ યમુનામાં સ્નાન કરવાથી, જ્યારે ગંગાના આચમન દ્વારા પાપમુક્ત થવાય છે. પણ નર્મદાના તો દર્શનથી જ સઘળાં પાપોનો નાશ થાય છે. વિશ્વમાં કદાચ નર્મદા એકલી નદી છે જેની પરિકમ્મા કરવામા આવે છે. તેને અત્યંત પુણ્યશાળી મનાય છે.
પુણ્ય તો ખબર નહીં, પણ નાનપણમાં અમૃતલાલ વેગડ અને બીજા કેટલાક લેખકોની કલમે નર્મદાની પરિકમ્મા (કે પરિક્રમા)નું અદભુત વર્ણન વાંચ્યું છે. નર્મદાના કિનારા પર જાણે તેમની જોડે રખડ્યાં છે. મનમાં ઊંડે ઊંડે તેની પરિક્રમા કરવાની પણ ખુબ ઇચ્છા છે. પ્રકૃતિ સાથે આટલો સરસ સાક્ષાત્કાર કરવાની તક ક્યારે મળશે ખબર નહીં. હા પણ નર્મદાની સતત નહીં પરંતુ કલીક પરિક્રમા કરવાનો તો મનસુબો છે. આ પરિક્રમામાં સતત નર્મદાની પરિક્રમા નથી કરાતી, પણ દર વર્ષે સગવડ મુજબ યાત્રી થોડા કિલોમિટરની પરિક્રમા કરે છે અને પછીના વર્ષે આ યાત્રા આગળ ધપાવે છે. ઇચ્છા તો છે, પછી જે ભવિષ્યમાં સંજોગ થાય.
રચના - આદિ શંકરાચાર્ય
સ્વર - ????
Read more...