કવિ ઉમાશંકર જોશીનો પરિચય
ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ ઇડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમની ખ્યાતી ગુજરાત અને ભારતના પણ સીમાડા વીંધીને દેશદેશાવર પાર પહોંચી છે.


