અત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.
અભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.
આ ભજન સહુયે સાંભળ્યું હશે. પણ આજે પારંપરિક કરતા કંઇક અલગ, કંઇક જુદુ વૈષ્ણવજન માણીયે. મેટ્રો અમદાવાદનું મેટ્રો વૈષ્ણવજન. થોડુક વાઇ બ્રાન્ટ છે, પણ આખરે વૈષ્ણવજન છે.
આજે આપણા સુગમ સંગીતના ગાયક એવા રાસબિહારી દેસાઇની ૭૬મી વર્ષગાંઠ છે. રાસદાદાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા અને પ્રભુને તેમના સ્વસ્થ દીર્ધાયુ માટે પ્રાર્થના.
પ્રસ્તુત ગીતના કર્તા વિશે મને મૂંઝવણ છે. દિવ્ય ભાસ્કરના લેખમાં આ ગીતના કર્તા તરીકે બાપુસાહેબ ગાયકવાડનું નામ છે. પણ આ ગીતની સીડીમાં કર્તા તરીકે નરસિંહ મહેતાનું નામ છે. વળી, ગીતના અંતમાં પણ નરસિંહ મહેતાનું નામ આવે છે.
અંતે મારું માનવું એવું છે કે, દિવ્યભાસ્કરમાં જે ગીત આપ્યું છે, તે બાપુસાહેબનું હોઇ શકે. બન્ને કવિઓએ 'શાંતિ પમાડે તેને સંત કહીયે' ધ્રુવપદ રાખીને ગીતો રચ્યા હોઇ શકે. મને વધારે ખબર નથી. આથી કર્તાની ચર્ચામાં વધુ ઉતર્યા વગર આ ગીતનો આસ્વાદ માણીયે, રાસદાદાને ખુબ ખુબ શુભેચ્છા આપવાની સાથે.
નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું મારા માટે કંઇક વિશેષ. પાંચમાં ધોરણમાં આ કવિતા ભણાવામાં આવતી. ત્યારે તેની ફક્ત પહેલી દસ પંક્તિઓ મુખપાઠ કરવાની હતી. પણ મને આ પદ એટલું ગમી ગયું કે આખું કંઠસ્થ કરી લીધું શિક્ષકે આખા વર્ગ સમક્ષ મને શાબાશી આપી હતી. તમે પણ માણો આ પદ.
No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.