લોકગીત આપણી લાગણીનું પ્રતિબિંબ કહેવાય. પણ આ ગીત તો મને મૂર્ખતા લાગે છે. પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસનો છે. તેમા માતાપિતા પણ મારા મતે બહારની વ્યક્તિ જ ગણાય. કોઇની પણ વાત પર સહેજ પણ વિશ્વાસ મુકતા પહેલા જાતતપાસ કરવી અત્યંત જરૂરી છે. પણ બીજાની વાત સાંભળીને પત્નીને બચાવની તક પણ ન આપે, અને ઝેરનો કટોરો ધરી દે તેવા પતિ માટે નમાલા સિવાય બીજો કોઇ શબ્દ મને સુઝતો નથી.
પત્નીએ પણ પોતાની નિર્દોષતાની સાબિતી આપ્યા વગર ઝેરની વાટકી પી લે તે પણ અયોગ્ય છે. કાચા કાનનો પતિ મેળવીને બીચારીનું ભાગ્ય પહેલેથી જ ફૂટી ગયું છે. આવા પતિને છોડીને વધુ શાંતિથી જીવી શકાય. તેમાં ઝેર પીવાની જરૂર નથી.
પણ આપણા આદર્શ જ એવા છે જે એક ધોબીની વાતથી સગર્ભા પત્નીને જંગલમાં ભટકવા છોડી દે, તો પછી આપણાં વર્તન પણ તેવા જ હોય ને?
સ્વર - પ્રફુલ્લ દવે
Read more...