Showing posts with label સાહિત્યકારનો પરિચય. Show all posts
Showing posts with label સાહિત્યકારનો પરિચય. Show all posts

Saturday, 19 March 2011

સ્વરકાર અજિત મર્ચંટની વિદાય

Source - i.ytimg

હજી દિલીપદાદાની વિદાયના આઘાતમાંથી ગુજરાતી સંગીત વિશ્વ હજી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યાં તો ગઇ કાલે (તા.૧૮.૩.૨૦૧૧)ની વહેલી સવારે ગુજરાતી સંગીતના અનન્ય સિતારા એવા અજીતદાદાએ વિદાય લઇ લીધી. અજીતદાદાની ટૂંકી ઓળખ આપવી હોય તો 'તારી આંખનો અફીણી' ગીતના સંગીતકર તરીકે. પણ આ તેમની કદાચ સહુથી ટૂંકી ઓળખ હોઇ શકે. 

મુંબઇમાં જન્મેલા અજિતદાદા વ્યવસાયે ફોજદારી ધારાશાસ્ત્રી. ગુનેગારોના કેસ લડવાનું તેમનું કામ. પણ તેમના પિતાની ઇચ્છાને કારણે બીજી કળાં પણ હસ્તગત કરી. સંગીતની શાસ્ત્રીય તાલીમ પણ લીધી.  રેડીયો પર 'એક ડાયરો' પ્રોગામમાં કોઇ કારણસર મૂળ કલાકાર હાજર ન રહી શક્યા એટલે સી.સી. મહેતાએ અજિતદાદાને કામ સોંપ્યું અને ગુજરાતને એક અનન્ય સંગીતકારની ભેટ મળી. આ બીના બની સને ૧૯૪૫માં.

ત્યારબાદ તેમની સંગીતયાત્રા ધીમી પણ મક્કમ ગતીએ આગળ વધી રહી. આ યાત્રાનો સહુથી મોટો પડાવ એટલે સને ૧૯૫૦ની ફિલ્મ 'દીવાદાંડી' અને તેનું ગીત 'તારી આંખનો અફિણી'. આ ગીતે તેના શબ્દો અને સંગીતસજ્જા દ્વારા સમગ્ર ગુજરાતની પ્રજાને ઘેલી કરી. (ગુજરાતમાં દારુબંધી હોવા છતાં આ અફિણ જેવા માદક ગીતે સમગ્ર ગુજરાતને મદહોશ કર્યું!!!) આ ગીતની સફળતાની પારાશીશી એ કે જુદાં-જુદાં ચાલીસ વ્યક્તિએ પોતાની રચનાં હોવાનો દાવો કર્યો. ખુદ અજિતદાદાએ પણ તેમના હિન્દી ગીતોમાં આ ધૂન વાપરીને ગીત બનાવ્યું 'ચંદા લોરિયા સુનાયે'. સ્વર લતા મંગેશકર. તમે પણ આ ગીત સાંભળો.

Read more...

Monday, 3 January 2011

સંગીતના સિતારા દિલીપ ધોળકીયાની ચિરવિદાય

સંગીતના ક્ષેત્રમાં સફળતાનાં અનેક શિખરો સર કરનારા વડીલ ગાયક, સ્વરકાર, વાદ્યવાદક દિલીપ ધોળકીયાનું ગઇકાલે મુંબઇમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ ૯૦ વર્ષનાં હતાં. આપણાં 'અભિષેક' પરિવાર તરફથી તેમને હાર્દિક શ્રદ્ધાંજલી. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી આપણે પ્રાર્થના કરીયે.

Read more...

Tuesday, 28 September 2010

કવિ ઉશનસનો પરિચય

કવિ- વિવેચક, આત્મકથાલેખક નટવરલાલ કુબેરદાસ પંડ્યા  ઉર્ફે ઉશનસનો જન્મ વડોદરા જિલ્લાનાં સાવલી ગામમાં થયો હતો. તેમેણે માધ્યમિક શિક્ષણ ડભોઇ અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું.

Read more...

Saturday, 28 August 2010

કવિ ઝવેરચંદ મેઘાણીનો પરિચય

ગાંધીજી એ જેમને 'રાષ્ટ્રીય શાયર'નં બિરુદ આપેલ તેવાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ગુજરાતનાં લોકપ્રિય અને લોક હૈયે વસેલા સાહિત્યકાર છે. તેમણે સાહિત્યમાં લોકહૈયાને ગુંજતું કર્યું છે અને સાહિત્યને લોકહૈયા સુધી પહોંચાડ્યું. સાહિત્ય અને સમાજ વચ્ચે સેતુ બાંધવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું હતું. તેમની પ્રેરણા લઇને અનેક સાહિત્યકારો ધરતીની સુગંધ લઇને સાહિત્યમાં પ્રગટ્યા.

Read more...

Wednesday, 25 August 2010

કવિ નર્મદની ૧૭૭મી જન્મ જયંતી વિશેષ

કાલે આધુનિક સાહિત્યકારોમાં આદ્ય એવાં કવિ નર્મદની ૧૭૭મી વર્ષગાંઠ ગઇ. રક્ષાબંધનની ધમાલમાં મારા ધ્યાનમાંથી જ આ બાબત નીકળી ગઇ. કંઇ નહિ, આજે આ વર્ષગાંઠ ઉજવીએ.

કવિ નર્મદ વિશે ઘણાં બધાએ ઘણું લખ્યું છે. નર્મદાશંકર દવેમાંથી કવિ નર્મદ અને વીર નર્મદની તેની યાત્રા સહુને માટે પ્રેરણાદાયી છે.

બસ આજે નર્મદની જીવન ઝરમર માણીએ. નર્મદનાં જીવનનાં મહત્ત્વનાં પ્રસંગોનું વૃતાંત માણીએ.

સ્વર - હરિશ ભીમાણી

Read more...

Tuesday, 10 August 2010

કવિ રાવજી પટેલ

ખેડા જિલ્લાનાં ડાકોર પાસે આવેલા વલ્લભપુરા ગામે એક કૃષિપરિવારમાં તારીખ ૧૫-૧૧-૧૯૩૯ના રોજ રાવજી પટેલનો જન્મ થયો હતો.

Read more...

Wednesday, 21 July 2010

કવિ ઉમાશંકર જોશીનો પરિચય

ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ ઇડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમની ખ્યાતી ગુજરાત અને ભારતના પણ સીમાડા વીંધીને દેશદેશાવર પાર પહોંચી છે.

Read more...

Monday, 17 May 2010

કવિ રમેશ પારેખનો પરિચય

આજે આપણાં ધોધમાર કવિ રમેશ પારેખની પુણ્યતિથી છે. તો ર.પા. વિશે થોડી વાત કરીયે.

Read more...

Sunday, 16 May 2010

કવિ અખાનો પરિચય

આજે અક્ષયતૃતિયા એટલે કે અખાત્રીજનો દિવસ છે. વણજોયા મુહૂર્ત તરીકે આજનો દિવસ દરેક શુભ કાર્યો માટે ઉત્તમ ગણાય છે. ગામડામાં ખેડૂતો આજના દિવસે તેમનાં ઢોરને સજાવે છે અને લણણીનો પ્રારંભ કરે  છે. જો કે આજનો દિવસ ગુજરાતી સાહિત્ય માટે સોનાનો ગણાય છે. કારણ કે આજે સાહિત્યમાં છપ્પાને અમર કરનાર અખાનો જન્મદિવસ છે.

Read more...

Friday, 16 April 2010

હાઇકુ - સ્નેહરશ્મી

'

Read more...

Sunday, 11 April 2010

હળવે હળવે હળવે હરજી - નરસિંહ મહેતા



આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો. નરસિંહ મહેતાના જીવન વિશે કોઇ આધારભૂત વીગતો મળતી નથી. આથી તેમના જીવન વિશે ઘણી માન્યતા પ્રચલિત છે. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું અમ માનવામા આવે છે.તેઓ નાતે વડનગરા નાગર હતાં.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP