મહેમાનોને સંબોધન : કવિ કાન્ત
એક વાર કવિ કાન્તના ઘેર કવિ નાન્હાલાલ મહેમાન બનીને પધાર્યા. કેવો દિવ્ય અવસર હશે આ બંને સાક્ષરોના મિલનનો. કવિ કાન્તે કવિ નાન્હાલાલની ઉત્તમપણે ચાકરી કરી. કવિ નાન્હાલાલની વિદાય બાદ તેમણે આ કાવ્યની રચના કરી. તેઓ કવિ નાન્હાલાલને પોતાની આગતા-સ્વાગતામાં કોઇ ઉણપ રહી ગઇ હોય તો ઉદાર મને માફ કરવા વિનવે છે. ઉપરાંત મહેમાનોને ફરી પધારવા ઇજન આપે છે.

