કવિ અખાનો પરિચય
આજે અક્ષયતૃતિયા એટલે કે અખાત્રીજનો દિવસ છે. વણજોયા મુહૂર્ત તરીકે આજનો દિવસ દરેક શુભ કાર્યો માટે ઉત્તમ ગણાય છે. ગામડામાં ખેડૂતો આજના દિવસે તેમનાં ઢોરને સજાવે છે અને લણણીનો પ્રારંભ કરે છે. જો કે આજનો દિવસ ગુજરાતી સાહિત્ય માટે સોનાનો ગણાય છે. કારણ કે આજે સાહિત્યમાં છપ્પાને અમર કરનાર અખાનો જન્મદિવસ છે.

