Sunday 23 May 2010

શરણાઇવાળૉ અને શેઠ - દલપતરામ

આ કાવ્યમાં શરણાઇવાળો એક શેઠને સંગીતકળાથી રીઝવવાનો પ્રયત્ન કરે છે. કદર વિનાનો શેઠ જે ઉદ્ધતાઇથી શરણાઇવાળાને જવાબ આપે છે તેમાંએની ખંધાઇનો આપણને પરિચય મળે છે. અહીં શેઠમાં કલાદ્રષ્ટિનો અભાવ જોવા મળે છે.



કવિ - દલપતરામ


એક શરણાઇવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગરાગીણી   વગાડવામાં વખણાણો  છે.

એકને જ જાચું એવી ટેક   છેક   રાખી એક
શેઠને રિઝાવી   મોજ   લેવાને   મંડાણો છે.

કહે દલપત પછી  બોલ્યો   તે   કંજુસ   શેઠ.
"ગાયક   ન   લાયક   તું   ફોગટ ફુલાણો છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું   બજાવે   તો  હું જાણું કે તું શાણો છે."

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP