ગુજરાતની અસ્મિતાની શોધ : આપણું ગુજરાત, આપણી લાગણી
મિત્રો, આપણા લાડીલા ગુજરાતની સ્વર્ણિમ જયંતીની આપ સહુને હાર્દિક શુભેચ્છા. આજના દિવસે 'અભિષેક' પર શું મુકવુ તે પ્રશ્ન મને લાંબા સમયથી મુંઝવતો હતો. ગુજરાત વિશે લખેલા બધા જ ગીતો, પછી નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' હોય કે ખબરદારનું 'યશગાથા ગુજરાતની' હોય, આપણા હૈયામા વસી ચુક્યા છે.
અંતે સ્વર્ણિમ જયંતીના દિવસે આપણો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો.મેં 'આપણું ગુજરાત, આપણી લાગણી' નામે એક અભિયાન ચાલુ કર્યું જેમા ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની ૧૦ વ્યક્તિઓ પાસેથી ગુજરાત્ની અસ્મિતા, ઓળખ, સંસ્કૃતિ, ભાષા વિશે તેમના મત જાણવાનો પ્રયત્ન કર્યો. અંતે તો આપણા ગુજરાત માટે આપણે શું વિચારીયે છે તે સહુથી વધુ અગત્યનું છે. તો ચાલો ચાલુ કરીયે.
૧) કાજલ ઓઝા
લેખિકા
આ નામથી તો ભાગ્યે જ કોઇ ગુજરાતી પરિવાર અજાણ હશે. 'યોગ-વિયોગ','કૃષ્યાયન' કે પછી 'દરિયો એક તરસનો' વગેરે પુસ્તકો દ્વારા વાચકોનાં હ્રદયમાં આગવુ સ્થાન મેળવનારા કાજલબેન ગુજરાતનાં સુખી અને સમૃધ્ધ જીવનને આપણિ અસ્મિતાનું પ્રતિક ગણે છે. વધુમાં તેઓ જણાવે છે કે કોઇ પણ સમાજની અસ્મિતાનું વહન સ્ત્રી કરે છે. આજે ગુજરાતી નારી આર્થિક અને સામાજીક બાબતોમાં સ્વાવલંબી બની છે, તે આપણિ અસ્મિતાનું નવું પરિમાણ છે.
પ્રાંતવાદ પર ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે ભવિષ્યમાં ગુજરાતીઓ ૧૦૦% પરપ્રાંતિઓને વિરોધ કરશે. 'આપણાં આર્થિક સાધનોનો કોઇ આપણાં ભોગે જ ઉપયોગ કરે ત્યારે વિરોધ જરૂર થાય. હા, પણ આવિરોધ ક્યારે થશે તે આપણી સહિષ્ણુતા પર આધાર રાખે છે. '
આપણિ અસ્મિતાની બાબત પર વધુ ચર્ચા કરતાં તોએ વાસ્ત્વિકતા વ્યક્ત કરે છે કે' આજે ગુજરાતીઓ બધી વાતે સુખી છે, એટલે અસ્મિતા યાદ આવી છે. બાકી અન્ય રાજ્યોની જેમ ખાવાનાં પણ ફાંફા હોય તો અસ્મિતાને કોણ યાદ કરે.' સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંગે જરાય શબ્દો ચોર્યા વગર સ્પષ્ટપણે જણાવે છે કે આ ઉજવણી સામાન્ય લોકો સુધી પહોંચી નથી. ગુજરાતી ભાષામાં અંગ્રેજીના વધતા જતાં મહત્વ માટે તેઓ કહે છે કે 'આજે આખા વિશ્વની ભાષા બદલાઇ છે, તો આપણે અલિપ્ત કેમ રહીયે.'
ગુજરાતી બ્લોગજગત વિશે આનંદ વ્યક્ત કરતાં તેઓ માને છે કે,'સમયની સાથે બદલાવું ખુબ જ જરૂરી છે.'બ્લોગ પર કોઇ લેખક કે કવિની કૃતિ ઉપલબ્ધ કરાવવાં સામે તેમને કોઇ જ વિરોધ નથી. તેઓ જણાવે છે કે,'જ્યારે તમે તમારી રચના સમાજને અર્પણ કરો છો, ત્યારે તેનાં પરના અમુક હકોને તમે ગુમાવો છો. જ્યાં સુધી કોઇ તેને પૈસા કમાવાનું માધ્યમ ન બનાવે ત્યાં સુધી તેમને કોઇ જ વિરોધ નથી.'
'ગુજરાતીઓ પોતાની ઓળખ પ્ર્ત્યે બેદરકાર છે' તે ટીકાનો સ્વીકાર કરતાં તેઓ એમ પૂછે છે કે 'આપણે બીજાથી શા માટે અભિભુત થવું જોઇએ?'અંતે આજનો ગુજરાતી ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે તે વાત ને નકારતાં તેઓ દ્રઢપણે માને છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે.
લેખિકા

પ્રાંતવાદ પર ચર્ચા કરતાં તેઓ જણાવે છે કે ભવિષ્યમાં ગુજરાતીઓ ૧૦૦% પરપ્રાંતિઓને વિરોધ કરશે. 'આપણાં આર્થિક સાધનોનો કોઇ આપણાં ભોગે જ ઉપયોગ કરે ત્યારે વિરોધ જરૂર થાય. હા, પણ આવિરોધ ક્યારે થશે તે આપણી સહિષ્ણુતા પર આધાર રાખે છે. '
આપણિ અસ્મિતાની બાબત પર વધુ ચર્ચા કરતાં તોએ વાસ્ત્વિકતા વ્યક્ત કરે છે કે' આજે ગુજરાતીઓ બધી વાતે સુખી છે, એટલે અસ્મિતા યાદ આવી છે. બાકી અન્ય રાજ્યોની જેમ ખાવાનાં પણ ફાંફા હોય તો અસ્મિતાને કોણ યાદ કરે.' સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંગે જરાય શબ્દો ચોર્યા વગર સ્પષ્ટપણે જણાવે છે કે આ ઉજવણી સામાન્ય લોકો સુધી પહોંચી નથી. ગુજરાતી ભાષામાં અંગ્રેજીના વધતા જતાં મહત્વ માટે તેઓ કહે છે કે 'આજે આખા વિશ્વની ભાષા બદલાઇ છે, તો આપણે અલિપ્ત કેમ રહીયે.'
ગુજરાતી બ્લોગજગત વિશે આનંદ વ્યક્ત કરતાં તેઓ માને છે કે,'સમયની સાથે બદલાવું ખુબ જ જરૂરી છે.'બ્લોગ પર કોઇ લેખક કે કવિની કૃતિ ઉપલબ્ધ કરાવવાં સામે તેમને કોઇ જ વિરોધ નથી. તેઓ જણાવે છે કે,'જ્યારે તમે તમારી રચના સમાજને અર્પણ કરો છો, ત્યારે તેનાં પરના અમુક હકોને તમે ગુમાવો છો. જ્યાં સુધી કોઇ તેને પૈસા કમાવાનું માધ્યમ ન બનાવે ત્યાં સુધી તેમને કોઇ જ વિરોધ નથી.'
'ગુજરાતીઓ પોતાની ઓળખ પ્ર્ત્યે બેદરકાર છે' તે ટીકાનો સ્વીકાર કરતાં તેઓ એમ પૂછે છે કે 'આપણે બીજાથી શા માટે અભિભુત થવું જોઇએ?'અંતે આજનો ગુજરાતી ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે તે વાત ને નકારતાં તેઓ દ્રઢપણે માને છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે.
૨) હરિશ્ચંદ્રસિંહ રાઓલ
ASI

૩) કલ્પનાબેન શાહ,
ગૃહિણી

૪) દેવેનભાઇ શાહ,
નોકરી
અમદાવાદમાં એક બાઇકના શૉ રૂમમા ફરજ બજાવતાં દેવેનભાઇ શાહ પોતાનો મત આપતા કહે છે કે સમગ્ર દેશમાં ગુજરાત એક શ્રેષ્ઠ રાજ્ય છે, તે જ તેની વિશિષ્ટ ઓળખ છે. અહીં કુટુંબભાવના અને લાગણીશીલ વાતાવરણ જોવા મળે છે. એક બીજાને નીચે પાડીને આગળ વધવાની આપણી વૃત્તી નથી.. એક ગુજરાતી તરીકેની પોતાની ઓળખનો તેમને ખુબ જ ગર્વ છે, હા પણ તેના નામે સંકુચિત પ્રદેશવાદને ઉત્તેજન આપવાનો તેઓ વિરોધ કરે છે. ગુજરાતી ભાષાને પુરતું મહત્વ મળતું નથી તે બાબત પર તેઓ દુઃખ વ્યક્ત કરે છે, પણ સાથે જ ભવિષ્યમા ગુજરાત આવીને આવી રીતે પ્રગતી કરતું જ રહેશે તેવો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરે છે.
૫) હંસાબેન પટેલ,
નોકરી

૬) સોનલ યાદવ,
પ્રાધ્યાપક
ગુજરાતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને ગુજરાતની અસ્મિતા ગણતાં સોનલબહેન દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે 'આજે ગુજરાતીઓ જ તેમની અસ્મિતા પ્રત્યે બેદરકાર છે.' આજની યુવાપેઢીમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અંગે જે ઉદાસિનતા જોવા મળે છે, તેના કારણે આ ઐતિહાસિક વારસો બહુ જ ઝડપથી નાશ પામી જશે તેવો ભય પણ તેમણે વ્યક્ત કર્યો છે. આ માટે યુવાનોના માતાપિતાને જ જવાબદાર ગણાવતાં તેઓ કહે છે કે,' માતાપિતાને જ આ વારસાની કોઇ પડી ન હોય તો બાળકોનો શું વાંક ગણાય.' વર્ષેથી ગુજરાત વિશ્વના ફલક પર ઔદ્યોગીક રાજ્ય તરીકે રજૂ થયું છે. પણ તેમના મને હવે ગુજરાતને સાહિત્ય અને સંસ્કારની ભૂમી તરીકે પ્રસ્થાપન કરવાનાં પ્રયત્નો પણ કરવા જોઇએ. અંતે સહુને સ્વર્ણિમ જયંતીની શુભેચ્છા પાઠવતાં તેઓ હળવેકથી ઉમેરે છે કે,' વિકાસની આંધળી દોડમાં આપણે માનવવિકાસ આંક એટલે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પાછળ ન પડી જૈએ તેનું ધ્યાન રાખવાની જરૂર છે.'
૭) જયશ્રીબેન પટેલ,
આચાર્યા

તે સ્વીકારે છે કે આજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો સિવાયના ઇતર વાંચનમાં ભાગ્યે જ રસ પડે છે. પણ આ માટે માતા-પિતા અને શિક્ષકોને જવાબદાર ગણતાં તેઓ કહે છે કે 'આજે શિક્ષકો અને માતા-પિતાને જ વાંચવું ગમતું નથી તો પછી બાળકો વાંચતાં ક્યાંથી શીખશે.?' પોતે અંગ્રજી વિષયના શિક્ષક હોવા છતાં અંગ્રજી ભાષાના બેફામ ઉપયોગ સામે પોતાનો વિરોધ નોંધાવે છે. આપણે અંગ્રજી પ્રચુર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીયે છે તેને પણ આપણી કરૂણતાં ગણાવે છે. ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યેના ગૌરવનો સદંતર અભાવ હોવાનું જણાવતાં તેઓ કહે છે કે,' આપણા નેતાઓ જ માતૃભાષા કરતાં અંગ્રજીને વધુ મહત્વ આપે છે, ત્યારે સામાન્ય પ્રજાને શું કહેવું?' તે કોઇ પણ પ્રદેશમાં રહેતાં લોકોની પ્રાદેશિક ભાષા શીખવાની જરૂરીયાત પર પણ ભાર મૂકે છે.
૮) મધુ મેનન
પર્યાવરણવાદી
ગુજરાતની અસ્મિતા વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે,' ગુજરાતની ઓળખ એક પ્રેમાળ અને પ્રગતિશીલ રાજ્ય તરીકેની છે.' જો કે ગિરના સિંહોને અન્ય રાજ્યોમાં ખસેડવાની વાતને આપણે અસ્મિતાનો પ્રશ્ન બનાવી દીધો છે, તેનો વિરોધ કરતાં કહે છે કે, ' મને પણ અંગત રીતે આ સ્થળાંતર સામે વિરોધ છે, પણ આ પ્રકૃતિની બાબતને આપણે ભાવનાત્મક મુદ્દો ન બનાવવો જોઇએ.' વધુ વાત કરતા તેઓ જણાવે છે કે,' વિશ્વફલક પર ગુજરાતનાં પ્રાકૃતિક વૈવિધ્યને પણ ગુજરાતની ઓળખ તરીકે રજૂ કરવું જોઇએ. ફક્ત ઔધ્યોગિક રાજ્ય પૂરતી ઓળખ સીમીત ન રાખવી જોઇએ.'
વિકાસની દોડમા પ્રકૃતિને આડઅસર થઇ હોવાની સ્વીકારી શ્રી મધુ મેનન ઉમેરે છે કે, ' આજનાં યુવાનોમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ચોક્કસ વધી છે, પણ તેમને યોગ્ય માર્ગદર્શન અપવાની જરૂર છે.' સ્વર્ણીમ ગુજરાત વિશે વાત કરતાં તેઓ કહે છે કે, ' વિકાસના ફળ હજી અંતરિયાળ ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે પાયાની સવલતોનો જ અભાવ હોય, ત્યાં અસ્મિતાની જાળવણી જેવાં મુદ્દાઓ કોણ સમજી શકે.?' અંતે વિકાસની હરિફાઇ એ મનુષ્યને પ્રકૃતિથી દૂર કરી દીધો હોવાનું જણાવતાં શ્રી મધુ મેનન એવો આશાવાદ વ્યક્ત કરે છે કે, 'મનુષ્ય પ્રકૃતિથી દૂર થઇ શકે છે, પણ પોતાનામા રહેલા પ્રકૃતિના તત્વોથી શી રીતે દૂર થઇ શકે?.'
૯) હરનિશ શાહ
વિદ્યાર્થી
૧૦) પૂર્વી દવે
પત્રકાર
'સીટી ભાસ્કર'માં ફરજ બજાવતાં પૂર્વીબેન ગુજરાતની અસ્મિતાને આપણે ગુજરાતિ પ્રજા સાથે જોડે છે. આ ઉપરાંત ગુજરાતના શિલ્પ, સ્થાપત્ય, સાહિત્યને પણ આપણિ અસ્મિતાની ઓળખ ગણાવાનું ભુલતાં નથી. પૂર્વીબેનનાં મતે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કોએ એક દિવસનો પ્રસંગ નથી. નવી પેઢીને આપણાં વારસાનો પરિચય આપવા માટે આવા ઉત્સવો મહત્વનો ભાગ ભજવે છે. તેમનાં મતે ગુજરાતની અસ્મિતા અને સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે શહેરો ઉપરાંત ગામડાઓમાં રહેતી પ્રજા પણ ઉત્સાહિત છે. તેટલું જ નહી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ તે માટે થનગની રહ્યાં છે. અંતે તેઓ માને છે કે, ગુજરાતની અસ્મિતાને વધુ મહત્વ આપવાથી પ્રાંતવાદને ઉત્તેજન મળવાનું નથી.'ભારત એક મુળ છે, અને ગુજરાત તેની સખત વિકસતી શાખા છે.' ભવિષ્યમાં ગુજરાતની સંસ્કૃતિ નવા રૂપરંગ સાથે વધુને વધુ ખીલશે તેવી આશા તે વ્યક્ત કરે છે.
પત્રકાર
'સીટી ભાસ્કર'માં ફરજ બજાવતાં પૂર્વીબેન ગુજરાતની અસ્મિતાને આપણે ગુજરાતિ પ્રજા સાથે જોડે છે. આ ઉપરાંત ગુજરાતના શિલ્પ, સ્થાપત્ય, સાહિત્યને પણ આપણિ અસ્મિતાની ઓળખ ગણાવાનું ભુલતાં નથી. પૂર્વીબેનનાં મતે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કોએ એક દિવસનો પ્રસંગ નથી. નવી પેઢીને આપણાં વારસાનો પરિચય આપવા માટે આવા ઉત્સવો મહત્વનો ભાગ ભજવે છે. તેમનાં મતે ગુજરાતની અસ્મિતા અને સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે શહેરો ઉપરાંત ગામડાઓમાં રહેતી પ્રજા પણ ઉત્સાહિત છે. તેટલું જ નહી વિદેશમાં વસતાં ગુજરાતીઓ પણ તે માટે થનગની રહ્યાં છે. અંતે તેઓ માને છે કે, ગુજરાતની અસ્મિતાને વધુ મહત્વ આપવાથી પ્રાંતવાદને ઉત્તેજન મળવાનું નથી.'ભારત એક મુળ છે, અને ગુજરાત તેની સખત વિકસતી શાખા છે.' ભવિષ્યમાં ગુજરાતની સંસ્કૃતિ નવા રૂપરંગ સાથે વધુને વધુ ખીલશે તેવી આશા તે વ્યક્ત કરે છે.
3 પ્રત્યાઘાતો:
khub saras...
vanchi ne gamyuu
Hello Sir,
Heads off to you.
Learn a lot about gujarat.
Uncommentable
Thank you.
Very good Krutesh
u have a great potential to do everything. u r a vigilant citizen and Gujarat needs some more people like u. Keep it up.
Post a Comment