Monday 29 November 2010

મારું વનરાવન છે રૂડું - લોકગીત

સાક્ષાત કૃષ્ણની ગોપી બનવાનો લ્હાવો મળે પછી સ્વર્ગનો મોહ કોને રહે. આવો જ કોઇ ભાવ આ ગીતમાં વ્યક્ત થયો છે.

લોકગીત
સ્વર - હેમુ ગઢવી



એ મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહિ રે આવું,
એ નહિ આવું વા નંદજીના લાલ રે.

બેસી રેવુ ને ટગ ટગ જોવું,
નહિ ખાવું રે મારે નહિ રે પીવું,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

સરગ લોક તો છે અતિ કૂડા,
વાથી વ્રજના ચોક મારે રૂડાં,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

એ રે વિશે બે નોળીયા હતા જો,
એને સતવર મેલ્યા જોને કાઢી,
ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહિ આવું.

એ સરગથી જો ને અમને સોહામણું,
અમને માનવને મૃત્યુલોક રે
પણ ઇમા મોટી વાતો દોહ્યલી,
વળી પાછો મરણ વીજોગ.

1 પ્રત્યાઘાતો:

અશોકકુમાર -'દાદીમાની પોટલી' Monday, November 29, 2010 4:45:00 pm  

કૃતેશભાઈ,

આજની પોસ્ટ મારું વનરાવન છે રૂડું, મારું અતિપ્રિય ગીત છે. તેમાં પણ સ્વ. હેમુ ગઢવીનો અવાજ, પછે તો વાત જ શું !

માફ કરજો, પરંતુ આ પોસ્ટને પૂરી સાંભળી નથી શકાતી. સરગ લોક અતિ કૂડા થી ફરી રીટર્ન થાય છે.

http://das.desais.net

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP