Friday 7 May 2010

મહેમાનોને સંબોધન : કવિ કાન્ત

એક વાર કવિ કાન્તના ઘેર કવિ નાન્હાલાલ મહેમાન બનીને પધાર્યા. કેવો દિવ્ય અવસર હશે આ બંને સાક્ષરોના મિલનનો. કવિ કાન્તે કવિ નાન્હાલાલની ઉત્તમપણે ચાકરી કરી. કવિ નાન્હાલાલની વિદાય બાદ તેમણે આ કાવ્યની રચના કરી. તેઓ કવિ નાન્હાલાલને પોતાની આગતા-સ્વાગતામાં કોઇ ઉણપ રહી ગઇ હોય તો ઉદાર મને માફ કરવા વિનવે છે. ઉપરાંત મહેમાનોને ફરી પધારવા ઇજન આપે છે.


આ ઉનાળું વેકેશનમાં આપણા સહુના ઘેર કોઇને કોઇ મહેમાનો જરૂર પધાર્યા હશે. તો ચાલે તેમનાં માનમાં સાંભળિયે આ ગીત.

કવિ - મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
કાવ્યસંગ્રહ - પૂર્વાલાપ

મહેમાનો! ઓ વા'લા! પુનઃ   પધારજો!
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો!
કરજો  માફ  હજારો   પામર   પાપ,   જે
દિનચર્યામાં   પ્રભુ  પાસે પણ થાય, જો!
મહેમાનો! ઓ વા'લા! પુનઃ   પધારજો!

ઉન્નત    ગિરિશૃંગોનાં   વસનારાં   તમે ઃ
ઊતર્યા  રંક ઘરે શો,  પુણ્યપ્રભાવ   જો!
શુશ્રૂષા      સારી   ના   અમને   આવડીઃ
લેશ  ન  લીધો લલિત ઉરનો લા'વ જો!

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP