Monday 27 June 2011

નર્મદને એક પ્રશ્ન - કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બધા કવિતા લખે છે. એક બ્લોગ બનાવીને કી-બોર્ડ પર થોડાં શબ્દો ટાઇપ કરતાં આવડી જાય એટલે કવિ બની ગયાં. તેમાં કંઇ ખોટું નથી. બદલાતાં સમયની સાથે કલમનું સ્થાન કી-બોર્ડ અને ચોપાનીયાનું સ્થાન ઇન્ટરનેટ લે તે વિશ્વગુર્જરીના હિતમાં જ છે. દરેક વ્યક્તિ કવિતા લખી શકે છે, પણ કવિ હોવું અને કવિ બનવા ફાંફા મારવા બન્નેમાં ખુબ જ ફરક છે. અંગત રીતે તો અત્યારે ગઝલોનો જે ઉભરો આવ્યો છે, તેનાથી મને તો અકળામણ થાય છે. કોઇ નવીન વિષય નહીં, એજ પ્રેમાપ્રેમલી, વિરહવેદના, સૂર્યાસ્ત કે નદીકીનારો, વગેરે. આ સંદર્ભમાં કૃષ્ણલાલ શ્રીધરાણીની તદ્દન ઉચિત કવિતા માણીયે.



શૌર્ય, નીડરતા, સચ્ચાઇની
        ગળથૂથી તેં તો પાઇ  ઃ
કેમ કરી ગુજરાતે આજે
       પ્રણય-રોદણી મંડાઇ?
સિંહણમાતા તું સાચી, તો
       પયધારા નવ જિરવાઇ !

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP