Friday 16 September 2011

નારાયણનું નામ જ લેતાં - નરસિંહ મહેતા


આજે ભારતરત્ન ગાયીકા સુબ્બુલક્ષ્મીની ૯૩મી જન્મતિથી છે. તેમને ખુબ ખુબ શ્રદ્ધાંજલી સાથે માણીયે આ ગીત.

કવિ - નરસિંહ મહેતા
સ્વર - એમ.એસ. સુબ્બુલક્ષ્મી


નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે મ્હાલી રે.

(શબ્દો - વિકીસોર્સ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP