એકલાં જ આવ્યા મનવા - બેફામ
કવિ બેફામનું આ ભજન આજે લોકભજનની કક્ષાએ પહોંચ્યું છે. અમદાવાદની પોળોમાં ભજનમંડળીઓની રમઝટ જામતી હતી. પુનીત મહારાજ અને અન્ય ભજનીકો અમદાવાદની વિવિધ પોળ અને વિસ્તારમાં ઘૂમી ભજનની રમઝટ માંડતા હતા. મોટા ભાગના ભજનીકો નજીવી દક્ષિણા સાટે તો પુનિત મહારાજ 'ખાધા સાટે સભા' જેવા વિચાર સાથે ભજન માંડતા હતા. આ બધા ભજનીકો માટે ભજન રોજીનો નહીં ઇશ્વરને રાજી કરવાનો વિષય હતો.
Read more...
આવી લુપ્ત થતી પરંપરા અને લુપ્ત થતાં ભજનીકોને યાદ કરી માણીયે આ ભજન.
ફિલ્મ - જાલમસંગ જાડેજા
કવિ - બરકત વીરાણી 'બેફામ'
સ્વર - ભૂપિંદર
સંગીત - દિલીપ ધોળકીયા

