ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન : કવિ ન્હાનાલલ
નાન્હાલાલ કવિની આજે ૧૩૩મી જયંતિ છે. ગુજરાતી ભાષાના સમર્થ કવિ, નવલકથાકાર, નાટ્યલેખક અને વાર્તાકાર નાન્હાલાલ એક સંવેદનાથી સભર સર્જક હતા. તેમની આવી જ સંવેદનાની ઝલક તેમની રચનામા જોવા મળે છે. તેમનું ઉપનામ 'પ્રેમભક્તિ' હતું. સાહિત્યમા એક નવી જ શૈલી 'ડોલનશૈલી' પ્રચલીત કરવાનું શ્રેય તેમને જ જાય છે. આ કવિનો વધુ પરિચય માટે મુલાકત લો. ગુજરાતી સારસ્વત પરિચય.
આજનું કાવ્ય એ કવિ નાન્હાલાલનાં એક નાટકમાંથી લીધેલ છે. પ્રેમરૂપી અમૃત હથેળીમા તો કેવી રીતે ઝીલાય.આ ગીતની વિસ્તૃત સમજ હું મેળવાનો પ્રયત્ન કરુ છું. તે મળતા જ હું જણાવીશ.
સ્વર - ફાલ્ગુની શેઠ
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ફૂલડાં કટોરી ગુંથી લાવું, જગમાલણીબેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
અંજલીમાં ચાર ચાર ચારણી રે બેન
અંજલીએ છુંદણાંના ડાઘ,જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ઝીલુ નહીં તો ઝરી જતું રે બેન,
ઝીલું તો ઝરે રસધાર, જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
ફૂંલડામા દેવની હથેળીયો રે બેન,
દેવની કટોરી દુંથી લાવું, જગમાલણી રે બેન,
અમૃત અંજલીમા નહીં ઝીલું રે બેન
ચંદ્રિએ અમૃત મોકલ્યા રે બેન
0 પ્રત્યાઘાતો:
Post a Comment