જેણે સેવેલા સાચા સંત રે- દાસ સવો
કવિ - દાસ સવો
સ્વર - અભરામ ભગત
જેણે સેવેલ સાચા સંત રે,
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
ધરમને એ પલકે હેજી દુઃખ ઉપજે રે
હેજી જાણી જોજો.
જેના કુળમાં થાય કલેશ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
મીંરાબાઇના દુઃખને જોવા મળી મેદની રે
વિચારી જો જો
જેણે ઝેરેના કીધાં અમરત રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
હરિચંદ્રની માથે હે વિશ્વામિત્ર કોપિયો રે
એ વિચારી જોજો
જેણે પાડ્યા નોખા દુઃખ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
પ્રહલાદજીને પીડવા હરણાકંસ કોપિયો રે
એ વિચારી જોજો
જેની ભોંયમાં હોય માંય રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
દાસ સવો એમ કે' છે સૂણીજન લાગ્યાં ડોલવા રે
એ વિચારી જજો.
રે'જો સંતચરણે વાસ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
સ્વર - અભરામ ભગત
જેણે સેવેલ સાચા સંત રે,
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
ધરમને એ પલકે હેજી દુઃખ ઉપજે રે
હેજી જાણી જોજો.
જેના કુળમાં થાય કલેશ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
મીંરાબાઇના દુઃખને જોવા મળી મેદની રે
વિચારી જો જો
જેણે ઝેરેના કીધાં અમરત રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
હરિચંદ્રની માથે હે વિશ્વામિત્ર કોપિયો રે
એ વિચારી જોજો
જેણે પાડ્યા નોખા દુઃખ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
પ્રહલાદજીને પીડવા હરણાકંસ કોપિયો રે
એ વિચારી જોજો
જેની ભોંયમાં હોય માંય રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
દાસ સવો એમ કે' છે સૂણીજન લાગ્યાં ડોલવા રે
એ વિચારી જજો.
રે'જો સંતચરણે વાસ રે
સમજે ના મન કોઇ દી' કે ડગે નહીં રે
0 પ્રત્યાઘાતો:
Post a Comment