આદિ અનાદિ વચન છે - ગંગાસતી
કવિ - ગંગાસતી
સ્વર,સંગીત - હેમંત ચૌહાણ
આદિ અનાદિ વચન છે પરિપુર્ણ,
વચનથી અધિક નથી કાંઇ રે;
વચન જાણ્યાં પછી શુદ્ધ પ્રેમ જાગે રે.
ભાઇ રે! કર્મકાંડ એને નડે નહીં રે,
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે.
પગલું ભરે પણ વચન તપાસે ને,
થઇ રહે ગુરૂજીના દાસ રે.
ભાઇ રે! જનક વિદેહી ભૂલી ગયો ને,
દીધો એણે પેઘડે પાવ રે;
એક વરસ સુધી તેમાં રહ્યો પોતે ને,
પછી બદલ્યો વચનનો ભાવ રે.
ભાઇ રે! દેહ છતાં તેને વિદેહી કીધો રે,
વચન તણો પ્રતાપ રે;
ગંગાસતી એમ બોલીયા રે,
જેને નહીં ત્રિવિધનો તાપ રે.
સ્વર,સંગીત - હેમંત ચૌહાણ
આદિ અનાદિ વચન છે પરિપુર્ણ,
વચનથી અધિક નથી કાંઇ રે;
વચન જાણ્યાં પછી શુદ્ધ પ્રેમ જાગે રે.
ભાઇ રે! કર્મકાંડ એને નડે નહીં રે,
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે.
પગલું ભરે પણ વચન તપાસે ને,
થઇ રહે ગુરૂજીના દાસ રે.
ભાઇ રે! જનક વિદેહી ભૂલી ગયો ને,
દીધો એણે પેઘડે પાવ રે;
એક વરસ સુધી તેમાં રહ્યો પોતે ને,
પછી બદલ્યો વચનનો ભાવ રે.
ભાઇ રે! દેહ છતાં તેને વિદેહી કીધો રે,
વચન તણો પ્રતાપ રે;
ગંગાસતી એમ બોલીયા રે,
જેને નહીં ત્રિવિધનો તાપ રે.

 
 

0 પ્રત્યાઘાતો:
Post a Comment