Saturday 17 November 2012

તરછોડ્યો જ્યારે આપે - અમર પાલનપુરી

કવિ - અમર પાલનપુરી
સ્વર - ???




તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે, રડવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ, તે ઓછું પડ્યું હશે !,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું ?

ખોળામાં જ્યારે આપનાં માથું મુકી દીધું,
સોગંદ તમારાં, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી  ‘અમર’ ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને, તરવાનું મન થયું ?

(શબ્દો - મા ગુર્જરી)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP