પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા - નરસિંહ મહેતા
મારી જૂનાગઢની વાર્તાને વધુ આગળ ધપાવીયે.
જૂનાગઢની વાત હોય અને ગિરનાર પર્વતની વાત ન થય એમ કેમ ચલે? મને તો પર્વત પહેલેથી બહુ ગમે અને તેમાય ગિરનાર એટલે ગુજરાતનુ નાક. છેલ્લી બે વખત ગિરનાર ચઢ્યા વગર પાછુ જવુ પડ્યુ હતુ, એટલુ દુખ થયુ હતુ મને. આશા છે કે આ વખતે ગિરિનાર સર કર્વાનો મોકો મળે. જૂનાગઢના કોઇ પણ ખૂણામાંથી વૃક્ષોથી આચ્છાદીત ગિરનારનું એક અદભૂત દ્રશ્ય દેખય છે અને તેની તળેટીમા આવેલા સુદર્શન તળાવની સુંદરતાની તો વાત જ પૂછવી. બસ જોતા જ રહો.ચિંતા ના કરો આજે બહુ વાત નહી કરું. લો સાંભળો નરસિંહ મહેતાનું આ અદભૂત ભજન
પદ - નરસિંહ મેહતા
સ્વર, સંગીત - આસિત દેસાઇ
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
જપ,તિરથ, વૈકુંઠ સુખ મેલી, વૈષ્ણવ હોયે ત્યાં હું આવું રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
અંબરિષ રાજા મને અતિઘણા વાહલા, દુર્વાસાભિમાન ભંગ કીધો રે,
મે મારું અભિમાન તજીને, દશવાર અવતાર લીધો રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
ગજને માટે હું ગરૂડે ચડી પડ્યો, મારા સેવકની વ્હારે રે,
ઊંચનીચ હું કાંઇ ના જાણું, મુને ભજે તે મુજ જેવા રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે,
અડસઠ તિરથ મારા સંતની ચરણે, કોટિ ગંગા કોટિ કાશી રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
સંત ચાલે ત્યાં હું આગળ ચાલુ, સંત સુએ ત્યારે જાગુ રે,
જે મારા સંતની નિંદા કરે તેને કુળ સહીત હું ભામુ રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે , વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે તે બંધન મે નવ તૂટે રે.
પ્રાણથકી મને વૈષ્ણવ વાહલા, રાત દિવસ હું તે ભામુ રે.
બેઠા ગાય ત્યાં હું ઉભો ઉભો સાંભળું, ઉભા ગાય ત્યાં હું નાચું રે,
એવા વૈષ્ણવથી નહી એક ક્ષણ અળગો, ભણે નરસૈંયો સાચું રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment