શ્રી કનકાધાર સ્તોત્ર - આદિ શંકરાચાર્ય
શ્રાવણ મહિનો પૂરો થઇ ગયો, પણ વ્રત અને ઉત્સવોની મૌસમ ચાલુ જ છે.કાલથી મનુષ્યો જેની સહુથી વધુ પૂજા કરે છે તેવા લક્ષ્મીમાતાના મહાલક્ષ્મી વ્રતનો શુભારંભ થયો છે. તો આજે માણીયે કનકાધાર સ્તોત્ર. વળી આજે આ સ્તોત્રના ગાયિકા સુબ્બુલક્ષ્મીની ૯૪મી જન્મજયંતી છે. ગુજરાતીઓ કદાચ તેમના વિશે નહી જાણતા હોય, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને ખાસ તો સંસ્કૃતના વિવિધ શ્લોકોને ઘરઘરમાં ગુંજતા કરવામાં તેમનો મોટો ફાળો છે. તેમની આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના.
આ સ્તોત્રનું વધુ મહામત્ય નથી ખબર, પણ જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી તેની રચના આદી શંકરાચાર્યે કરી છે. વાત કંઇક એવી બની હતી કે, એક દિવસ શંકરાચાર્યજી ભિક્ષા માંગવા એક ગરીબ કુટુંબનાં આંગણે ઊભા રહી ગયા. કુટુંબની સ્ત્રી ગરીબ પણ શ્રદ્ધાળું હતી. પણ જ્યારે હાલ્લાં જ કુસ્તી કરતાં હોય તેનાં ઘરમાંથી શું મળે. તે સ્ત્રીઓ બહુ શોધખોળ કર્યા પછી કોઇક ખુણેથી એક આમળું મળ્યું. આ આમળું તેણે રોતી આંખે લાચારવશ થઇ શંકરાચાર્યને ભિક્ષામાં આપ્યું. શંકરાચાર્ય તેનો ભક્તિભાવ જોઇ પ્રસન્ન થઇ ગયાં. આ પ્રસંગે તેમણે શ્રીસુક્તમની રચના કરી. કહેવાય છે કે તેમનો પાઠ સાંભળીને મહાલક્ષ્મી માતાએ પ્રસન્ન થઇને સોનાનાં આંમળાનો વરસાદ વરસાવ્યો હતો. આપનાં જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિની વૃષ્ટિ થાય તેવી ભાવના સાથે સાંભળીયે શ્રીસુક્તમનો પાઠ.
રચના - આદિ શંકરાચાર્ય
0 પ્રત્યાઘાતો:
Post a Comment