કેટલાંક કાવ્યો - મણિલાલ દેસાઇ
આજે કવિ મણિલાલ દેસાઇની ૭૨મી વર્ષગાંઠ. તેમને ખુબ ખુબ યાદગીરી. આજે માણીયે તેમણે રચેલ કેટલાક કાવ્યોનો આસ્વાદ.
આકાશ એકાએક ધસી પડ્યું.
બધી જ સંસ્કૃતિઓ એની નીચે
ચગદાઇ ગઇ.
મોંહે-જો-દરો અને નવું દિલ્હી
બધું જ થઇ ગયું એક...
ત્યારે એકાદ અશ્મિલની પાંસળીએ વળગી રહેલો હું
જંતુ બની
માટી કોરતો કોરતો
સપાટી પર આવ્યો
અને
મનુને શોધવા લાગ્યો.
******
તમે જેની પૂજા કરો છો એ ભગવાન
કાલે રાતે
મંદિરની ભીંતમાં પડેલી તડમાંથી
ભાગી છૂટ્યો.
પાછલી વાડના કાંટામાં ભેરવાઇ રહેલું પીતાંબર
હજુ યે ફરફરે.
******
સૂસવાટ કરતી
આવતી ભીની હવામાંથી
એકાદ બે જલબિન્દુ લઇ
ડાળે
સવારે ડોકિયું કીધું.
કીધું ને હાંક મારી ઃ
આવ વર્ષા.
0 પ્રત્યાઘાતો:
Post a Comment