જંપવા દેતું નથી પળભર મને - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
કવિ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'
કોણ કોરી ખાય છે અંદર મને.
કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.
નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.
ઝેર ભોળા થાવ તો પીવું પડે.
બસ ગમે છે એટલે શંકર મને.
વસવસો, કે જોઇ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.
પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?
(શબ્દો - આત્મા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment