Showing posts with label અંગત. Show all posts
Showing posts with label અંગત. Show all posts

Saturday, 26 February 2011

ગુજરાતના કેટલાક શહેરોનાં પ્રાચીન નામો

આજે આપણું અમદાવાદ ૬૦૦ વર્ષ પૂરા કરીને ૬૦૧ના વર્ષમાં પ્રવેશ કરે છે. સહુને વધામણી. ખરૂં પૂછો તો આ અમદાવાદ શહેરની નહીં, પરંતુ આ શહેરના 'અમદાવાદ' નામકરણની ૬૦૧મી વર્ષગાંઠ છે.  બાકી તો આ શહેરે આશાભીલના ટેકરા થી માંડીને કર્ણદેવની મહેલાતો અને ઓતિયા-ગોધિયાની સામેની લડાઇથી સ્વતંત્ર્યની લડાઇ સુધીની ઘટનાઓ જોઇ છે. આશાપલ્લી, આશાવલ, કર્ણાવતી, નવાનગર, નવીનપુર, શ્રીનગર, અમદાવાદ, અહમદાબાદ અને એમેડાબાદ એટલા વિવિધ નામોથી આ શહેર ઓળખાઇ ચુક્યુ છે અને ઓળખાઇ રહ્યું છે.

અમદાવાદના વિવિધ નામોની આછી ઝલક આપવાનો મારો વિચાર હતો. પછી અચાનક થયું, ફક્ત અમદાવાદ જ કેમ? અન્ય શહેરોને પણ તેમના વિવિધ નામનો ઇતિહાસ છે. જેણે મુન્શી અને ધૂમકેતુની સોલંકી રાજવંશના ઇતિહાસને નિરૂપતા પુસ્તકો વાંચ્યા હશે તો આજના ગુજરાતના ઘણા શહેરોના જૂના નામોનો ઉલ્લેખ જોવા મળશે. મેં અહીં મારી સ્મરણશક્તિ મુજબ આછેરો પ્રયાસ કર્યો છે. માહિતીનું સંપૂર્ણ શ્રેય કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના પુસ્તકો અને થોડું ઘણું વિકીપીડીયાને જાય છે.

શરૂઆત કરીયે અમદાવાદથી.

Read more...

Monday, 11 October 2010

પ્રમુખ સ્વામીનો સાક્ષાત્કાર

ઑફિસના કામથી થોડા દિવસ માટે જૂનાગઢ ગયો હતો. આમ તો નોરતાંમા અમદાવાદની બહાર જવાની ઇચ્છા બિલકુલ ન હતી. જૂનાગઢ પહોંચ્યા પછી ખબર પડી કે પૂજ્ય પ્રમુખ સ્વામી નવરાત્રી દરમિયાન જૂનાગઢના અક્ષરવાડીમાં રોકાણ કરવાના છે. બાપાના દર્શન થશે એ વાતથી મન પ્રસન્ન થઇ ગયું. ઘણા લાંબા સમય બાદ પ્રમુખ સ્વામીના દર્શનનો લ્હાવો મળ્યો છે.

Read more...

Thursday, 20 May 2010

તારીખ ૧૬ મે ૨૦૧૦ની મુલાકાત વિશે

આજે સવારે અમે થોડા મિત્રો વીરપુર ગયા. સૌરાષ્ટ્રનું આ ખોબા જેટલું ગામ જલારામબાપા જેવા સંતને પામીને ધન્ય થઇ ગયું છે. નાનપણથી જલારામબાપા વિશે અનેક કથા, દંતકથા, ભજનો વગેરે સાંભળ્યાં છે. વીરપુરનું મંદિર જોઇને ખુશ થઇ જવાયું. હિન્દુ મંદિરોમાં જ્વલ્લે જ જોવા મળે તેવી બે વસ્તુ ત્યાં જોઇ : સ્વચ્છતા અને ભેટ-સોગાદોની નિષેધતા. 

મંદિરના રસોડે રોજ હજારો લોકો કઢી-ખીચડીનો પ્રસાદ જમે છે, પણ મંદિરમાં ક્યાંય ગંદકી ન જોવા મળી. વળી આપણાં મંદિરો દાન મેળવવા માટે જાત-જાતનાં તીકડમ કરે છે ત્યારે અહીં એકપણ દાનપાત્ર ન જોઇ સુખદ આશ્ચર્ય થયું.

હા પણ, એક બાબત જોઇ મન ક્લિષ્ટ થઇ ગયું. જલારામબાપા શ્રીરામના મોટા ભક્ત હતા. પણ વીરપુરના મંદિરમાં રામસીતાની મૂર્તિને ગૌણ પ્રાધાન્ય અપાયું છે અને જલારામબાપાની છબી જાણે મંદિરની મુખ્ય પ્રતિમા હોય તેમ ગોઠવવામાં આવી છે. જલાબાપાની શીખામણ વીસરી જઇને વ્યક્તિપૂજાને વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તેમ લાગે છે. જલારામબાપાએ પણ આ જોયું હોત તો તેમને ચોક્કસ દુઃખ થાત. વ્યક્તિપૂજાના વાડામાંથી નીકળવાની જરૂર છે.

એકંદરે બહુ જ સરસ યાત્રા.

Read more...

Sunday, 2 May 2010

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના જાહેર માર્ગ પર મોટાં મોટા પૉસ્ટર જોવાં મળે છે. 'મકાન ખરીદવાની અદભુત તકઃ ન્યુ મણિનગરમાં', 'મકાન મેળવોઃ ન્યુ ઘોડાસરમાં'.

Read more...

Friday, 30 April 2010

દરેક સમાજ સાથે કોઇકને કોઇક રિવાજ સંકળાયેલા હોય છે. આ રિવાજો સમાજની ઓળખ સમાન છે. પણ જ્યારે આ રિવાજો જડ બની અમાનુષ બને છે ત્યારે તે સમાજની પ્રગતીને રૂંધી નાખે છે.

આવો જ કુરિવાજ છે, મૃત્યુ પછી કરવામાં આવતા કારજનો. મૃત્યુ બાદ દસમા, બારમાં, તેરમાંની વિધી કરવાન, બ્રાહ્મણોને જમાડવાના, આખી નાત જમાડવી, પંડીતોને મસમોટાં (ફરજીયાતપણે) દાન કરવાના જંગલી રિવાજે ઘણાંની કમર તોડી નાખી છે. આ કુરિવાજ કેટલાક વર્ગ માટે આજીવિકાનો સ્ત્રોત બની ગયો છે. આથી જ તેને એનકેનપ્રકારે જુદા જુદા તાગડા કરી પ્રસાર કરાય છે. મને તો આ રિવાજ પ્રત્યે ઘૃણા છે, આથી જ મેં કોઇના પણ કારજવિધિમા નહીં જમવાનુ એવું નક્કી કર્યું છે.

જો કે છેલ્લા કેટલાંક સમયમા તેની સામે જાગૃતિ વધી છે ખરી. પહેલા તો મૃતકના કુટુંબના બધા પુરુષસભ્યોએ ફરજીયાત મુંડન કરાવવુ પડે. આજે તે મહદાંશે મરજીયાત બન્યું હે. કેટલાક તો મૂંછ મૂંડાવીને પણ ચલાવી લે છે.

ઉપરાંત વર્ષો પહેલા દસમા, બારમા, તેરમાની લાંબી લાંબી વિધી ચાલતી, તે હવે એક જ દિવસ પૂરતી મર્યાદિત થઇ ગઇ છે. એક જ દિવસે બધુ પતાવી દેવામાં આવે છે. નાત જમાડવાની ઘટનાંતો ભૂતકાળ બની ગઇ છે. નજીકના સભ્યો અને આડોશી પાડોશીને જ ભેગાં કરી જમાડ્વામાં આવે હે. ગોરમહારાજ ને આપવી પડતી  ભેટોનું પ્રમાણ પણ ઘટ્યું છે, અને તે મરજીયાત બની છે. કેટલાંક લોકો તો મૃત્યુ પછી આવી વિધિ કરવાના ઝંઝટમાં પણ નથી પડતાં, તે આવકારદાયક છે.

આપણા આ અવિશ્રાંત અને fast જીવને આપણને ઘણી મુશ્કેલીઓમા મુકી દિધા છે. પણ સાથે આવા કુરિવાજોને નાબુદ કરવામાં પણ તે મદદરૂપ થયાં છે.

હું સર્વે વાચકોને એક વિનંતી કરવા ઇચ્છુ કે આપ પણ પોતાની જાતને આવા કુરિવાજોને ઉત્તેજન આપવાથી દૂર રાખો. 

Read more...

Saturday, 24 April 2010

અમદાવાદના રસ્તા પહોળા
ને વચમાં મૂકી આડાશો કે રાજ લવિંગ લ્યો.

ના ના ડરી કાં જાવ. ગુજરાતી સાહિત્યને એક (ભયાનક) કવિતાની ભેટ આપી સમૃધ્ધ(??) બનાવવાની કોઇ જ ઇચ્છા નથી. પણ આ તો ઘણા દિવસથી જે જોવું છું તે જોઇને વિનોદ જોશીની કવિતા (થોડાં ફેરફારો સાથે) યાદ આવી ગઇ.(ના ના કંઇ આડું અવળું નથી જોયું ભાઇ!)

તમને તો ખબર જ હશે કે BRTS આવ્યા પછી અમદાવાદના રસ્તા સારા એવા પહોળા થઇ ગયા છે. (ના ખબર હોય તો હવે પાડવી.) એ પાણીના રેલાની જેમ સડસડાટ હંકારે રાખોને. ટ્રાફિકની કોઇ બીક જ નહીં. પણ અમારા આ સુખની પોલીસવાળાને ઇર્ષા આવી. (કદાચ તેમની 'આવક' પર ફટકો પડ્યો હોય તે પણ કારણ હોય.) રસ્તા વચ્ચે મોટી મોટી આડશો મૂકી રસ્તો અવરોધી નાખ્યો છે. પરિણામ શું હોય, ટ્રાફિક જામ!!! વાહન ચલાવવાની મજા જ મારી નાખી.

મેં સાંભળ્યું (અને જોયું પણ) છે કે લીસા લીસા ગોરા ગાલ પર કાળો કાળો તલ 'બ્યુટી સ્પૉટ' ગણાય છે. RTO પણ શહેરને સુંદર બનાવવા આ લીસા લીસા રસ્તા પર આવા 'બ્યુટીસ્પૉટ' ઉભા કરે છે. બાકી આ તો જબરૂ કહેવાય. પહેલા ઘર અને દુકાન તોડી રસ્તા પહોળા કરો અને પછી આડશો વડે અવરોધો. !!!!!

Read more...

Wednesday, 21 April 2010

લ્યો કાલે અમારાં ઇન્સટિટ્યુટમાં થતાં સેમીનારની પોલંપોલની વાત કરી ત્યાં આજે સવારે જ સમાચાર વાંચ્યાં કે હવે સેમીનારમા મૅમ્બરસની હાજરી લેવા માટે બાયોમૅટ્રિક્સ ટૅક્નોલૉજીનો ઉપયોગ થશે અને ટૂંક સમયમા ચાલુ થશે. (એટલે ફરી અમારા વિદ્યાર્થીઓના પૈસાનો વ્યય. મૅમ્બર સીધાં ન ચાલે એટલે અમારા વિદ્યાર્થીઓના પૈસા વાપરી ખાવાના. તમને ખબર છે, ત્રણ વર્ષમા ફી કેટલી બધી વધારી દીધી છે.)

જો કે મજાની વાત તો એ છે કે, ઇન્સ્ટીટ્યુટે આ જાહેરાત કરવી પડી એનો મતલબ એ કે સેમીનારમા ભૂતિયા સબ્યો આવે છે. અને બીજી મનોમંથન કરવાની વાત એ છે કે, મેમ્બર્સની ગેરહાજરીનુ કારણ શોધી તેને દૂર કરવાની જરૂર છે. તેના ઘણાં સેમીનાર તદ્દન બકવાસ હોય છે.(આજની ભાષામાં હથોડાછાપ.). આ સેમીનારને થોડા અર્થસભર બનાવે તો બધા સામેથી આવે. પણ કોણ સાંભળે? કહેવા ખાતર ભઇ બાયોમૅટ્રિક્સ વાપરો, પણ મને અમારી CA પ્રજા પર ખાતરી છે. કોઇને કોઇ છીંડુ શોધી જ કાઢશે.

Read more...

Tuesday, 20 April 2010

આજે મને સેમીનાર પર લખવાની ઇચ્છા થઇ છે. એમા બન્યું છે એવું કે અમારી ઇન્સ્ટીટ્યુટના પ્રમુખ અને ઉપપ્રમુખ આજે અમદાવાઅદની મુકાલાકાક્તે છે. આ માટે અમને SMS કરવામાં આવ્યો કે, 'વિદ્યાર્થીઓને પ્રમુખ સાથે સંવાદ સાધવાની અદભૂત તક. વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવા મળશે.' (ભાઇ, આવું બધું લખવું પડે. નહીતર ઑડીયન્સ ના બેગું થાય અને પ્રમુખ સાહેબને ખુટું લાગી જાય.) જોકે અમારા સેંઇનારની એક ખાસિય છે. લોકો ક્યાં વિશે સેમીનાર છે, તે વિષયની ચિંતા કરવાને બદલે લંચ કે બ્રેકફાસ્ટ કેવો હશે તે પહેલા જુએ છે. બીજી એક ખાનગી વાત.(તમારા અને મારા વચ્ચે જ રાખવી.) સેમીનારમાં ભૂતીયા મેમ્બર પણ હોય છે. ના ના, મરીને ભૂત થનાર CAની વાત નથી કરતો. આ તો મીટીંગમા સહીથી હાજર હોય અને શારિરીક રીતે ગેરહાજર હોય તેવાં મેમ્બરની વાત છે. કેટલાંક CA તો બહુ જ સારા હોઅય છે. પોતાનાં articleને member બતાવી પોતાના નામે  સેમીનારમાં મોકલે છે. Articleને જ્ઞાન મળે તવાં 'શુભ' હેતુથી.(અને પોતાના CPE કલાક ગણાઇ જાય.) જો જો વાત બહાર જાય ના.

Read more...
Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP